ખંભાતના વિદ્વાન ધારાશાસ્ત્રી અને કેળવણીકાર ડૉ. બંકિમચંદ્ર વ્યાસ દ્વારા લિખિત નવા પુસ્તકનું તાજેતરમાં ભવ્ય વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તક આદ્ય શંકરાચાર્ય દ્વારા રચિત રહસ્ય ગ્રંથ 'સૌંદર્યલહરી' હિન્દી ભાષામાં લખાયેલું છે.આ પ્રસંગે દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીના વરદહસ્તે અનેક ભક્તોની ઉપસ્થિતિમાં આ ગ્રંથનું વિમોચન સંપન્ન થયું હતું.આ ગ્રંથમાં ભગવતી ત્રિપુરસુંદરીની સ્તુતિ, પ્રાર્થના અને અત્યંત સુંદર વર્ણન કરાયું છે.