કેશોદના બરસાના સોસાયટી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ને લઈને છેલ્લા ઘણા સમયથી માંગ ચાલુ હતી ત્યારે આજે બરસાના સોસાયટીના રહેવાસીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે આજે મીટીંગ મળી હતી જેમાં બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હતી અને આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો હતો