નવસારી જિલ્લા પંચાયત (મા.મ.) વિભાગ દ્વારા વાંસદા નવા બસ ડેપોને જોડતા રાણીફળીયા ચાર રસ્તા થી પસાર થતો માર્ગ હવે વિસ્તરણ માટે બંધ રહેશે. વાપી-ધરમપુર-વાંસદા-ઉનાઈ-શામળાજી નેશનલ હાઇવે નં. ૫૬ પરથી આ માર્ગને ૩ મીટરથી વધારી ૫.૫૦ મીટર પહોળો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન વાહન વ્યવહાર માટે આ માર્ગ બંધ રહેશે અને રાહદારીઓને વૈકલ્પિક માર્ગ તરીકે હનુમાનબારી ચાર રસ્તા થઈ વાંસદા મુખ્ય માર્ગનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.