નડિયાદ શહેરમાં સરદાર ભુવન કોમ્પલેક્સ તોડવાની કામગીરીને કારણે મુખ્ય માર્ગ બંધ કરાયો હતો. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતાં, આયોજનના અભાવે રેલવે સ્ટેશન અને શ્રેયસ ગરનાળા પાસે ભયાનક ટ્રાફિક જામ સર્જાયો હતો. મહાનગરપાલિકાની અણઘડ કામગીરીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.