વર્ષ 1998 માં ઉધના પટેલમાં રહેતા સંજય નાયકે આરોપી સમીર નરહરી ભોલાને 200 રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા.જેની ઉઘરાણી કરવા ગયેલા સંજય પર સમીર નરહરી અને જે તે સમયે સગીર વયના આરોપી રામુ નરહરિ સહિત પાંચ ઈસમોએ જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.જે ગુન્હામાં હાલ સમીર નરહરી અને રામુ નરહરિ છેલ્લા 28 વર્ષથી ફરાર હતા.દરમ્યાન ઉધના પોલીસ ચોપડે નોંધાયેલા આ ગુન્હામાં ફરાર આરોપીઓને ઉધના પોલીસની ટીમ દ્વારા મહારાષ્ટ્ર ના મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યા હતા.