આજ રોજ શ્રી પાટીદાર કર્મયોગી પરિવારના આયોજન હેઠળ જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓમાં સેવા આપતા કર્મયોગીઓ તેમજ છેલ્લા બે વર્ષ દરમિયાન વિવિધ સરકારી વિભાગોમાં નવનિયુક્ત થયેલા કુલ ૧૩૮ કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું. માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીની વિશેષ ઉપસ્થિતિમાં આ દ્વિતીય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કર્મયોગીઓની સેવાઓને બિરદાવવામાં આવી અને પરિવારજનો સાથે સૌહાર્દપૂર્ણ માહોલમાં સ્નેહમિલન યોજાયું