મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના દેલવાડા ગામે રૂપેણ નદીના પુલ ઉપરથી એસટી વ્યવહાર બંધ હોવાના કારણે છેલ્લા ચાર મહિનાથી લોકો તો પરેશાન હેરાન થઈ રહ્યા છે પરંતુ હવે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે હાલ બેચરાજી એપીએમસી માં રોજ ત્રણથી ચાર ગાડી કપાસ અને ચારથી પાંચ ગાડી એરંડાનો માલ આવે છે પરંતુ રોડની હાડપિંજર સમાન સ્થિતિના કારણે વેપારીઓ ટ્રાન્સપોર્ટ માટે આવવા તૈયાર નથી.