અડાજણ: સુરતના વરાછા રેલવે ગરનાળામાં ફરી ટ્રક ફસાઈ: રેલવે સેફટી ગાર્ડ સાથે ટ્રેલર અથડાતાં ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ
Adajan, Surat | Oct 7, 2025 સુરતના વરાછા રેલવે ગરનાળા પાસે ફરી એકવાર બેદરકારીની ઘટના સામે આવી છે. વધુ પડતી ઊંચાઈ ધરાવતા એક ટ્રેલર ટ્રકને કારણે ગરનાળું બંધ થતાં શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગરનાળામાંથી પસાર થવાના પ્રયાસમાં આ ટ્રેલર ગરનાળાની રેલવે સેફટી ગાર્ડ સાથે જોરદાર રીતે અથડાયું હતું અને ત્યાં જ ફસાઈ ગયું હતું.