ધ્રાંગધ્રા, તા. આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને ધ્રાંગધ્રાની સાધના વિદ્યાલય ખાતે ધોરણ-10 માટે શુભેચ્છા સમારંભ તેમજ ધોરણ-12 (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) માટે વિદાય સમારંભનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકમંડળની ઉપસ્થિતિએ માહોલ યાદગાર અને ભાવુક બની ગયો હતો કે.જી.થી ધોરણ-12 સુધી આ જ સંસ્થામાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓએ શાળાના સ્નેહસભર