નવસારી શહેરના ટાવર નજીક લક્ષ્મણ હોલ પાસે આવેલ જાહેર શૌચાલયની બદતર સ્થિતિ અને ભારે દુર્ગંધને કારણે આસપાસના વેપારીઓ તથા અહીંથી પસાર થતા લોકો ભારે તકલીફ અનુભવી રહ્યા છે. શૌચાલયની અંદરથી દેશી દારૂની પોટલીઓ મળવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેના કારણે દારૂ પીનારાઓની હુલ્લડબાજીથી વેપારીઓ ત્રસ્ત બની ગયા છે.