સુરત : સુરત મહાનગરપાલિકામાં વિવિધ ઝોન અને વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ કોર્પોરેટરોનો ફોન ઉપાડતા ન હોવાનું, કોર્પોરેટરો સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાનું અથવા તો કોર્પોરેટરોની રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી ન કરતા હોવાની ફરિયાદો સમયાંતરે સાંભળવા મળે છે. જેમાં હવે પૂર્વ શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપુતને આવો કડવો અનુભવ થયો હોય એમ તેમને અધિકારીઓ જનપ્રતિનિધીઓના ફોન ઉપાડતા ન હોવાની ગંભીર ફરિયાદ સામાન્ય સભામાં કરી હતી.