સુરત જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના નિર્દેશ અનુસાર 'બજેટ પ્રચાર અભિયાન-2026' અંતર્ગત આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રીઓ જગદીશભાઈ પારેખ, રોહિતભાઈ પટેલ અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસિ્થતિમાં આ પ્રસારણ જોવામાં આવ્યું હતું. જિલ્લા સંગઠને આ બજેટને જનહિતલક્ષી ગણાવી સહર્ષ સ્વીકાર્યું હતું.