ગુરુવારે સવારે 11 કલાકના સમય દરમિયાન પાંડેસરા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.અવાવરૂ જગ્યાએથી લાશ મળી આવતા ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી.જે બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.જ્યાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.