મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૨૬મી ડિસેમ્બરે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાશે. દિશા ફાઉન્ડેશન અને ઘોડિયા સમાજ દ્વારા તા.૨૬ થી ૨૯ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન ટ્રાફબલ ટ્રેડ ફેરનું આયોજન કરાયું છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનેકવિધ વિકાસકામોનું ભુમિપુજન તથા લોકાર્પણ હાથ ધરાશે.