ગુરુવારે સવારે 10:00 થી 10:30 વાગ્યાના સમય દરમિયાન ભટાર સ્થિત સુમન આવાસના 14માં માળેથી મહિલાએ બાળકને ફેંકી પોતે આપઘાત કરી લીધો હતો.જે બાદ ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી.પ્રથમ મહિલાની કોઈ ઓળખ કે રહેઠાણના પુરાવા નહીં મળતા આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની સાથે સાથે અન્ય લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા.જે બાદ મહિલાની ઓળખ ઝહિદા તરીકે થઈ હતી અને તેની ભટાર વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું.મહિલા ડિપ્રેશન નો શિકાર હતી.