નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા વિસ્તારના છાપર ગામ પાસે બનેલી દુર્ઘટનામાં લુસવાડા પટેલ ફળીયાના રહેવાસી સંજયભાઈ દોલતરાય પટેલનું અકસ્માતમાં દુઃખદ મોત થયું છે. સંજયભાઈ પોતાની હીરો હોન્ડા પર મેધર તરફથી લુસવાડા જઈ રહ્યા હતા ત્યારે છાપર ગામના મંદિર ફળીયા પાસે બાઇક સ્લીપ થઈ જતા તેઓ રોડ પર પડી ગયા હતા. માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમને તાત્કાલિક બીલીમોરાની ગુપ્તા હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે સુરતની મૈત્રેય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.