આજે વહેલી સવારે ખેરાલુ તાલુકાના કુડા શિવપુરા ગામે આવેલા સધીમાતાના મંદિરે અજાણ્યા ચોરો દાનપેટી અને ચાંદીના દીવા ચોરી ફરાર થયા હતા અને થોડે દુર એરંડાના ખેતરમાં દાનપેટી તોડી રોકડ લઈ પેટી ફેંકી દીધી હતી. પુજારીને જાણ થતાં ગામલોકોને જાણ કરી હતી અને આજે ખેરાલુ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.