વડોદરા પૂર્વ: વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે બીટા ગરબાની મંજૂરી રદ બાદ ફરી બહાલ, ખેલૈયાઓમાં ખુશી
કોર્પોરેશનના જનસંપર્ક વિભાગ દ્વારા જણાવાયું કે વડોદરા “સાંસ્કૃતિક અને કલાનગરી” તરીકે ઓળખાય છે, જ્યાં નવરાત્રી પર્વ નવ દિવસ સુધી રંગે-ચંગે ઉજવાય છે. નાગરિકોની શ્રદ્ધા અને ખેલૈયાઓના ઉત્સાહને ધ્યાનમાં રાખી, ફક્ત અને ફક્ત લોકોની ભાવના જાળવી રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ફરી એક વાર શહેરના ખેલૈયાઓમાં ખુશીની લહેર વ્યાપી છે.