ખંભાત: ખંભાતના ગુડેલ ગામના તળાવમાં ડૂબી જવાથી 33 વર્ષીય યુવાનનું મોત
Khambhat, Anand | Mar 26, 2026 ખંભાત તાલુકાના ગુડેલ ગામના તળાવના પાણીમાં ડૂબી જવાથી 33 વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજ્યું છે, જેના પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતકનું નામ હસમુખભાઈ હિંમતભાઈ વહુણીયા (ઉંમર વર્ષ ૩૩) છે, જેઓ ખંભાત તાલુકાના ગુડેલ ગામે રહેતા હતા.હસમુખભાઈ કોઈ કારણસર ગામના તળાવના પાણીમાં પડી ગયા હતા. પાણીમાં ડૂબી જવાથી તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.