વડોદરા : નવરાત્રિનો પર્વ ભારતીય સંસ્કૃતિનું એક ભવ્ય પ્રતિબિંબ છે.શક્તિની આરાધના અને ઉત્સવનો અનેરો માહોલ હોય છે.નવ દિવસ માતાજીનો ગરબો ઘેર-ઘેર મૂકવામાં આવે છે.જે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે.જોકે ઉત્સવની સમાપ્તિ બાદ માટીના ગરબાનું તળાવોમાં વિસર્જન કરવાની પરંપરા ભલે શ્રદ્ધા સાથે જોડાયેલી હોય,પરંતુ પર્યાવરણ પર તેની નકારાત્મક અસર પણ પડે છે.કારણ કે માટી કે રંગો પાણીના સ્ત્રોતોને દૂષિત કરે છે.જોકે પર્યાવરણ પ્રેમી સુનિલભાઈએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યુ છે.