સૌરાષ્ટ્રની ગંગા કહી શકાય તેવું પવિત્ર અને પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ તીર્થ રૈવતાચલ- ગીરી તળેટીમાં આવેલુ છે, અહીં ભગવાન શ્રીકૃષ્ણ દામોદર સ્વરૂપે બિરાજે છે, આશરે ૧૨૫૦૦ વર્ષ જૂનું મનાતા આ તીર્થ ક્ષેત્રમાં ભાવિકો આસ્થાભેર દામોદર કુંડમાં ડૂબકી લગાવે છે અને ભગવાન દામોદરજીના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવે છે. પિતૃઓના તર્પણ અને અસ્થિ વિસર્જન માટે સવિશેષ જાણીતા આ તીર્થમાં મહાશિવરાત્રી પર્વમાં પણ વિશેષ દિવ્યતા જોવા મળે છે.