નવસારી જિલ્લાના સુલતાનપુર–અબ્રામા માર્ગને જોડતો જૂનો પુલ તોડી નખાયા બાદ નવો પુલ બનતાં પહેલાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન રોડની નીચી ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. થોડા સમયમાં જ આ ડાયવર્ઝન રોડ તૂટી પડતા વાહનવ્યવહાર સંપૂર્ણ ખોરવાયો છે અને સ્થાનિક નાગરિકો ગરનાળાની ઉપરથી જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે.