ખંભાત: 50 હજાર રૂા.ના ચેક રિટર્ન કેસમાં આણંદના કબૂતરબાજને 1 વર્ષની કેદની સજા
Khambhat, Anand | Mar 27, 2026 આણંદ શહેરના પાઘરીયા વિસ્તારમાં આવેલી ઝેવિયરનગર સોસાયટીમાં રહેતા કબૂતરબાજ જેનીશભાઈ જયંતિભાઈ પરમારને ઈઝરાયેલના વિઝા અપાવી દેવાના બહાને ખંભાત તાલુકાના વાસણા ગામના ખેડૂત પાસેથી લીધેલા ૩ લાખ પૈકી 50 હજાર રૂપિયાના ચેક રિટર્ન કેસમાં ખંભાતની અદાલતે તકસીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદ તેમજ પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફરમાવી હતી.