માણાવદર: જૂનાગઢ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી
જૂનાગઢ જિલ્લામાં વરસાદ વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા વરસાદમાં ખરાબ થયેલા રસ્તાઓની રીપેરીંગની કામગીરી ડામર પેચથી શરૂ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ખડીયા, માણાવદર બાંટવા સરાડીયા રોડ, માણાવદર રોડ, બાલાગામ બામણાસા આખા રોડ વગેરે રસ્તાઓની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર શ્રી દિનેશ નાઘેરા સહિતની ટીમ દ્વારા મરામતની કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.