ગઢડા ગામની વાડી વિસ્તારમાં રહેતા દેવીપૂજક મીનાબેન માણેકભાઈની 108 એમ્બ્યુલન્સમાં સુરક્ષિત ડિલિવરી કરાવવામાં આવી હતી. આ ડિલિવરી દરમિયાન જોડકા સંતાનોનો જન્મ થયો હતો. ડિલિવરી બાદ માતા અને બંને બાળકોને તાત્કાલિક મુળી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં પાયલોટ ભરતભાઈ પરમાર અને EMT રોહિતભાઈ રાઠોડની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. સમયસર નિર્ણય, સંકલિત કામગીરી અને ઉત્તમ સેવા થકી માતા અને નવજાત બાળકો સંપૂર્ણપણે સલામત રહ્યા હતા.