ધારી શહેરમાં આવેલ શ્યામ વાડી પાસે રામ મેન્સનના રહીશ ૭૭ વર્ષીય વૃદ્ધ ડિપ્લોમા ઈજનેર ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર ઘનશ્યામભાઈ રામજીભાઈ વાળા દ્વારા દેહ દાન કરવામાં આવ્યું છે તેમના તરફથી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીને બજરંગ ગૃપના માધ્યમથી દેહદાન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ તકે બજરંગ ગૃપ પ્રમુખ પરેશભાઈ પટ્ટણી, ધર્મ વિધાયક જીજ્ઞેશગિરિ ગોસાઈ, ભાજપ મહામંત્રી મૂકેશભાઈ રૂપારેલીયા, સહિતના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા.