ભાવનગરમાં શૈલેષ ખંભાળિયા એ પોતાની પત્ની અને બે બાળકોની નિર્મમ હત્યા કરી નાખી હતી.સમગ્ર હત્યાકાંડ ની ઘટનાને ગુજરાતભરનાં લોકોને હચમચાવી દીધા હતા.જે ઘટનાને લઈ સમસ્ત રબારી સમાજમાં ભારે રોષ છે.જેના ઘેરપ્રત્યાઘાત સુરતમાં જોવા મળ્યા છે.મંગળવારે વરાછા વડવાળા સર્કલ નજીક રબારી સમાજ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં સમાજના લોકોએ મોબાઈલ ટોર્ચ વડે શ્રદ્ધાંજલિ પાઠવી આરોપીને ફાંસીની સજા ફટકારવાની માંગ કરી હતી.