આજે તારીખ 08/12/2025 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ઝાલોદના જય દશામાં વિદ્યામંદિરમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ 15થી વધુ વિવિધ પાત્રોની સચોટ રજૂઆત કરી હતી. બાળકોએ તેમની બાલ્ય ભાષામાં મધુર અભિવ્યક્તિ રજૂ કરી, જેણે ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા.