માલણપુર ગામે પશુપાલન માટે આવેલા મૂળ કચ્છના વ્રજવાણી ગામના એક પશુપાલક પરિવારના ૧૩ ઘેટાની ચોરી થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ખેતાભાઇ રતનાભાઇ મકવાણા પોતાના પરિવાર અને એક હજાર જેટલા ઘેટા સાથે માલણપુર ગામે લક્ષ્મણભાઈ નાડોદા રાજપુતના દાડમના ખેતરમાં રોકાયા હતા, જ્યાં ગત ૭ જાન્યુઆરીની વહેલી સવારે જાગીને જોતા તેમના ૧૩ સફેદ ઘેટા ગાયબ જણાયા હતા. આશરે ૫૨,૦૦૦ રૂપિયાની કિંમતના આ ઘેટાની ચોરી નોંધાઇ હતી.