આજે તારીખ 19/10/2025 રવિવારના રોજ સાંજે 6 કલાકે ઝાલોદ નગરમાં યોજાનાર શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ અંતર્ગત વ્યાસપીઠ તેમજ બેઠક વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.ઝાલોદ નગરમાં 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહ આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાના મધુર કંઠ દ્વારા રસપાન કરાવવામાં આવનાર છે.