વાંસદા સ્થિત સરકારી વિનયન વાણિજ્ય કોલેજ ખાતે “આત્મનિર્ભર ભારત” તથા “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” અભિયાન અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો. સંવાદ દરમિયાન આત્મનિર્ભર ભારતના વિચારને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમજ દૈનિક જીવનમાં સ્વદેશી ઉત્પાદનો અપનાવવાની પ્રેરણા આપવામાં આવી. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વદેશી વિચારધારાની જાગૃતિ વધારવા અને રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા પર ભાર મૂકવામાં આવ્યો.