આજે તારીખ 26/11/2025 બુધવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા સંજેલી તાલુકામાં વિવિધ કામગીરીઓને લઈને મહત્વપૂર્ણ મુલાકાતો યોજાઈ.કલેક્ટરે તાલુકાના બોડિયાભીત ગામની મુલાકાત કરી. ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા સ્થાનિક પ્રશ્નો સાંભળી, તેમના ઝડપી નિકાલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા. તાલુકા સ્તરના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગામના વિકાસ વિષયક ચર્ચાઓ પણ યોજાઈ.