જામજોધપુર: જામજોધપુરના વાંસજાળીયા ગામમાંથી અઢી વર્ષ પહેલાં એક સગીરાને ઉઠાવી જનાર આરોપી સુરેન્દ્રનગરના થાનગઢમાંથી સગીરા સાથે પકડાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાંથી આજથી અઢી વર્ષ પહેલાં 17 વર્ષની વયની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જનાર શખ્સને પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી સગીરા સાથે ઝડપી લીધો છે. જે ભોગ બનનાર એક બાળકની માતા બની ગઈ છે, અને તેને એક માસનો પુત્ર છે. જેને હાલ મેડિકલ તપાસણી અર્થે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, જ્યારે અપહરણ કરી જનાર આરોપી સામે જુદી જુદી કલમો હેઠળનો ગુન્હો નોંધાયો છે, જેમાં તેની ધરપકડ કરી લેવાઇ છે.