આજે રવિવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા કહ્યુ હતુ કે RSS ના લોકો અને એમાંથી જન્મેલી પાર્ટી આજે સત્તા પર છે.75 વર્ષ પછી સંવિધાનથી ચાલતો દેશ રહેશે કે કેમ તે ચિંતા વ્યાપી છે.1952 પછી મતદાર યાદીમાં સુધારા વધારા થયા.પણ આજ સુધી મતદારોને ક્યારેય પુનઃ ફોર્મ ભરવાનો વારો નથી આવ્યો.ભાજપના શાસનમાં આજે મતદારોને પુનઃ ફોર્મ ભરવાનો વારો આવ્યો .