નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેવડી ગામે નાતાલ પર્વની ઉજવણી માટે આપવામાં આવેલી પરવાનગી રદ્દ કરવાની માંગ ઉઠી છે. દેવ બિરસા સેના અને અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા વાંસદા મામલતદારને આવેદનપત્ર આપી આક્ષેપ કરવામાં આવ્યો છે કે નાતાલ પર્વની ઉજવણીની આડમાં આદિવાસીઓનું ધર્મપરિવર્તન થવાની આશંકા છે. સંગઠનોએ પરવાનગી રદ્દ ન કરવામાં આવે તો નાતાલના દિવસે વિરોધ, ભુખ હડતાળ અને જેલભરો આંદોલન કરવાની ચીમકી આપી છે.