ધુળેટીના પાવન અવસર પર વર્ષો જૂની પરંપરા જાળવતા શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ મંડળ માંડવી દ્વારા નદી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પ્રમુખ અને સભ્યો દ્વારા રૂક્માવતી નદી કિનારે પૂજા-અર્ચના કરી સમાજની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી. માહિતી બપોરે 12:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.