વડોદરા : વડોદરા : જીલ્લાના વાઘોડિયા તાલુકાની દેવ ડેમ સિંચાઈ યોજનામાં કેનાલના નવીનીકરણના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે સામાજિક અગ્રણી અને કરણી સેના દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ સાથે વાઘોડિયાના માડોધર ગામે બનાવવામાં આવેલી ડમ્પિંગ સાઈટને ખસેડવા સહિત હલકી ગુણવત્તાની કામગીરી કરનાર ઈજારદાર સામે કાર્યવાહીની પણ માંગણી કરવામાં આવી હતી.