બોરીગાળા ગામમાં એક દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ તેને સુરકિ્ષત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ દીપડો ગામના નિશાળ ફળિયા જેવા રહેણાંક વિસ્તારમાં અવારનવાર આવી ચડતો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ હતો.સ્થાનિક નાગરિકો જયેશભાઈ ચૌધરી અને પ્રકાશભાઈ ચૌધરી દ્વારા વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ સાંજના સમયે આંગણવાડી 1 પાછળ વન વિભાગ દ્વારા એક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.