જૂનાગઢ: ઝાંસીની રાણીના સર્કલ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરાયું , રાજ્યના મંત્રી સહિતનાઓએ મુલાકાત લીધી
લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે આયોજિત યુનિટી માર્ચ પદયાત્રાની સાથે સ્વદેશી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,પદયાત્રા દરમિયાન રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ મુલાકાત લીધી હતી. તેમણે સ્વ સહાય જૂથના બહેનો અને સ્થાનિક કારીગરો પાસેથી ગૃહ સુશોભન સહિતના કલાત્મક સ્થાનિક ઉત્પાદનોની જાણકારી મેળવી હતી. ઝાંસીની રાણીના સર્કલ ખાતે મેળો