આજે શુક્રવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા ભૈરવનાથ પરોઠા હાઉસમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ચાર ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 15થી 20 મિનિટમાં પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. આગ લાગી ત્યારે બુઝાવવાના પ્રયત્ન દરમિયાન એક વ્યક્તિ દાઝી ગયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.