તાજેતરમાં બગદાણા ખાતે નવનીતભાઈ પર થયેલ હુમલાના વિરોધમાં આજ રોજ માણાવદર સહિત જિલ્લાભરના કોળી સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લા કલેકટર સાહેબને માનનીય મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોળી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. આવેદનપત્રમાં નવનીતભાઈ પર થયેલા હુમલાની તટસ્થ અને ઝડપી તપાસ કરવાની તેમજ દોષિતોને કડક સજા