હાંસોટ: ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની 1700 કી.મી.ની કાવડયાત્રાએ જવા રવાના થયા છે.
હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા હતા. આજરોજ ગામના રામજી મંદિર,ભીડભંજન મહાદેવ મંદિર,વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમ્યાન ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.