શહેરમા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા પવિત્ર જીવનયાત્રા મહોત્સવ યોજાયો, મોટી સંખ્યામા તપસ્વી યુગલો હાજર રહ્યા
Botad City, Botad | Mar 17, 2025
બોટાદમા ભાવનગર સબઝોન અને બોટાદ કેન્દ્ર માં જ્ઞાન મેળવતા 250 જેટલા યુગલોનું મહાસંમેલન યોજાયું હતું.આ તમામ તપસ્વી યુગલો કેન્દ્રમાં જોડાઈ આધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરી પરમપિતા પરમાત્માના સ્વરૂપમા એકરૂપ થવા અને જીવનમા આધ્યાત્મ જ્ઞાન ઉતારવા માટે સાંસારિક સંયમી જીવન જીવતા તમામ યુગલોનું મહાસંમેલન યોજાયું હતું.મહાદેવ પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડ ખાતે તમામ તપસ્વી ભાઈ બહેનો યુગલોની ઉપસ્થિતમાં મહાસંમેલનમાં ઉપસ્થિત તમામ યુગલો ભાઈ-બહેનો નું સ્વાગત સમ્માન કરવામા આવ્યુ.