માંડવી: અરેઠ ગામમાં નવરાત્રી પર્વ દરમિયાન નવા જન સુવિધા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો
Mandvi, Surat | Sep 23, 2025 માંડવી તાલુકાના અરેઠ ગામમાં નવરાત્રી પર્વ દરમિયાન અંકિતભાઈ સોલંકી દ્વારા નવા જન સુવિધા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બસ સ્ટેશન નજીક સ્થાપિત આ સરકાર માન્ય કેન્દ્રમાં અનેક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કેન્દ્રમાં નાગરિકોને આધારકાર્ડ બનાવવા, સુધારા-વધારા કરવા અને મોબાઈલ નંબર લિંક કરવાની સુવિધા મળશે. વધુમાં, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ અને વીમા પોલિસી જેવા દસ્તાવેજો પણ અહીંથી મેળવી શકાશે.