બીલખા ખાતે ગૌ હત્યાની ઘટનાને લઈને તમામ સમાજમાં રોષ ફેલાયો છે. ગત 29 તારીખે સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી ગાયનું કપાયેલું મસ્તક મળ્યું હતું. આ જઘન્ય કૃત્યના આરોપીઓને પકડવા મુસ્લિમ ઘાંચી સમાજે પણ બીલખા પોલીસમાં ઉગ્ર રજૂઆત કરી છે. હિન્દુ–મુસ્લિમ એકતાનું ઉદાહરણ આપતાં, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.