મુન્દ્રા-બારોઇમાં ₹૨૬.૫૨ કરોડની અમૃત ૨.૦ પાણી યોજનાનું લોકાર્પણ.ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે મુન્દ્રા-બારોઇ નગરપાલિકાની ₹૨૬.૫૨ કરોડની અમૃત ૨.૦ પાણી યોજનાનું લોકાર્પણ કરાયું. આ યોજનાથી ૧૩૫ સોસાયટીઓના હજારો નાગરિકોને ક્ષારયુક્ત પાણીથી મુક્તિ મળશે અને શુદ્ધ નર્મદાના નીર પ્રાપ્ત થશે. આ પ્રસંગે પાલિકાના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો