શુક્રવારે સાંજે 5:00 કલાકે સુરત રેલવે સ્ટેશન ખાતેથી વેરાવળ સોમનાથ જતી ટ્રેનને કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. શહેર ભાજપના કાર્યકર્તા અને આગેવાનો મોટી સંખ્યામાં સોમનાથ ખાતે આયોજિત સ્વાભિમાન પર્વમાં સામેલ થવા સુરત થી રવાના થયા છે. છેલ્લા બે દિવસ દરમિયાન અંદાજિત 2000 થી પણ વધુ લોકો સોમનાથ જવા રવાના થઈ ચૂક્યા છે. જે પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું કે,મોહમ્મદ ગજનબીના હુમલાબાદ પણ આસ્થાનો વિજય થયો છે.