ખોડલધામ કાગવડથી મા ખોડલનો રથ મેંદરડા તાલુકા સહિત મેંદરડાની વિવિધ શેરીઓમાં ભવ્ય રીતે પરીભ્રમણ કરી રહ્યો હતો. આ પાવન અવસરે નાની બાળાઓ તથા બહેનો દ્વારા માતાજીના સામૈયા કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલી ખાતે, કૃષ્ણ નગર સોસાયટી, મેંદરડાની મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર રંગોળીઓ બનાવવામાં આવી હતી. ત્યારબાદ મા ખોડલની મહાઆરતી કરવામાં આવી અને બહેનો દ્વારા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું