સુરતમાં જિલ્લામાં ગેરકાયદે ધર્માંતરણ મુદ્દે દેવ બિરસા સેના દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી હતી.સેનાના અધ્યક્ષ અરવિંદ વસાવાએ મંગળવારે સાંજે ચાર કલાકે આપેલી માહિતી મુજબ,અન્ય ધર્મમાં પરિવર્તન કરે તેનો અમારો કોઈ વિરોધ નથી.દરેક વ્યક્તિની સ્વતંત્રતા અને અધિકાર છે.પરંતુ જે લોકોએ ધર્માંતરણ કર્યું છે તેની કાયદેસરની નોંધ કરવામાં આવે.ઉપરાંત જ્યાં ચર્ચ આવેલા છે તેની તપાસ થવી જોઈએ.ઉપરાંત ફંડિંગ અંગે પણ યોગ્ય તપાસ થવી જોઈએ.