વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપથી થઇ રહ્યો છે. સયાજીપુરા, અણખોલ, ખટંબા સહિતના ગામોની આજુબાજુ હવે અનેક સોસાયટીઓ બની જતા લોકો રહેવા માટે પણ આવી ગયા છે પરંતુ પાણી માટે લોકોને રોજ વલખા મારવા પડે છે. નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણી મેળવવાની મંજૂરી નહી મળતા લગભગ સવા લાખ લોકોને અસર પડી છે.